ઈનામી નાબૂદી કાયદા હેઠળની જમીનોના હાલના ધારણકર્તાઓંનેને ધારણ કરેલી જમીનના કબ્જાહક વર્તમાન જંત્રીના 20 ટકાના અવેજમાં નિયમબધ્ધ કરી આપવા આવશે - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

8.30.2023

ઈનામી નાબૂદી કાયદા હેઠળની જમીનોના હાલના ધારણકર્તાઓંનેને ધારણ કરેલી જમીનના કબ્જાહક વર્તમાન જંત્રીના 20 ટકાના અવેજમાં નિયમબધ્ધ કરી આપવા આવશે

 For Download Stamp Duty Calculator App Click here 


  • નવી જંત્રીમાં ઠરાવો પ્રસિદ્ધ કરી સરકારે આવકનું પણ ધ્યાન રાખ્યું !
  • તમામ ફાઈલોનો નિકાલ હવે કલેક્ટર કક્ષાએ જ થશે, ગાંધીનગરના ફેરા બંધ
  • મહેસૂલ વિભાગે સોમવારે મોડી રાતે ઠરાવો પ્રસિધ્ધ કર્યા છે
  • 13 પ્રકારના ઈનામી નાબૂદી કાયદા હેઠળની જમીનોના હાલના ધારણકર્તાઓંનેને ધારણ કરેલી જમીનના કબ્જાહક વર્તમાન જંત્રીના 20 ટકાના અવેજમાં નિયમબધ્ધ કરી આપવા મહેસૂલ વિભાગે સોમવારે મોડી રાતે ઠરાવો પ્રસિધ્ધ કર્યા છે. આ નિર્ણયથી ગુજરાતભરના નાના અને સીમાંત ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે. કારણ કે, 13 ઈનામી કાયદાઓંને હેઠળ પૂર્વકાળમાં આવા ખેડૂતો પોતાની અજ્ઞાનતા કે માહિતીના અભાવે કબજાહક્ક માટેની રકમ ભરી શક્યા નહોતા. એથી, કાયદા અનુસાર આવા ખેડૂતો પાસે રહેલી જમીન શ્રાી સરકાર થવાની શક્યતા રહેતી હતી.

    ઈનામી કાયદા હેઠળની જમીનોને નિયમબધ્ધ કરવા મુદ્દે મુખ્યમંત્રી સ્તરેથી અગાઉ નિર્ણય કર્યો હતો. પરંતુ, આવા પ્રકારની જમીનોના સ્વત્વાર્પણ, બીનખેતી પરવાનગી, વિકાસની કામગીરીને તબક્કે ઉપસ્થિત થતા ટાઈટલ ક્લિઅરના પ્રશ્નો માટે થયેલી અરજીઓંનેને કારણે સરકારની આવકમાં નુકશાન ન થાય એટલે નવી જંત્રીના અમલ બાદ ઠરાવો થયાનું કહેવાય છે. મહેસૂલ વિભાગના નાયબ સચિવ ભાવિન પટેલની સહીથી પ્રસિધ્ધ 13 અલગ અલગ ઠરાવોમાં કહેવાયુ છે કે, સંબંધિત કાયદા હેઠળની જમીનને નિયમબધ્ધ કરવાની તમામ સત્તાઓંને કલેક્ટરને આધિન રહેશે. અર્થાત અત્યાર સુધી માત્ર અઢી એકરનું ક્ષેત્રફળ ધરાવતી હોય તેવી જમીન અંગે જ કલેક્ટરને નિર્ણય લેવાની સત્તા હતી. જો કે, હવે ક્ષેત્રફળની મર્યાદા હટાવી લેવાઈ છે. જેના કારણે અહીં ગાંધીનગરમાં સરકાર સ્તરે એક પણ ફાઈલ કે રૂબરૂ આવ્યા વગર કલેક્ટર કક્ષાએથી પોતાના જિલ્લામાં જ ખેડૂતોના કબ્જા નિયમબધ્ધ થઈ શકશે ! ઉલ્લેખનિય છે કે, અધિકાંશ જિલ્લાઓંનેમાં ઈનામી નાબૂદી કાયદા હેઠળની જમીનો છે. જેમાં પૂર્વકાળમાં રીગ્રાન્ટ થયેલી જમીનની કબજાકિંમત નિયત સમયમાં ભરપાઈ ન કરવાને કારણે કબ્જેદાર કે તેમના વારસદારને અનઅધિકૃત ધારણકર્તા ગણાય છે. આવા ધારણકર્તાઓંનેએ અન્યોને વેચાણ સહિતની રીતે જમીન તબદિલ કર્યો હોય તો હાલના કબ્જેદારો પાસેથી પ્રવર્તમાન જંત્રીના 20 ટકા રકમ વસૂલી તેનો કબ્જો અનઅધિકૃતમાંથી નિયમબધ્ધ થઈ શકશે.

No comments:

Post a Comment

Featured post

"રજિસ્ટ્રાર દસ્તાવેજની માલિકી તપાસી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ નિર્ણય"

શીર્ષક: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ટાઇટલ ન હોવા છતાં દસ્તાવેજની નોંધણીનો ઇનકાર કરવામાં ન આવે – નિયમ 55A(i) અમાન્ય જાહેર . ભારતના સુપ્...