ખેડૂત કોણ બની શકે ? બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકે ખરા ? - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

9.25.2022

ખેડૂત કોણ બની શકે ? બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકે ખરા ?

 

For Download Stamp Duty Calculator App Click here 


તમારી જમીન,  તમારી મિલકતનિલેશ વી. ત્રિવેદી (એડવોકેટ)

ખેડૂત કોને કહેવાય ? ખેતીની જમીનની માલીકી અને તેની ખરીદી-વેચાણ તેમજ તેના ધારણ કરવા માટેના નિર્ધારિત મહેસુલી નિયમો-કાયદાઓ છે. ખેતીની જમીનની ઉપયોગિતાને ધ્યાને રાખીને આ નિયમોનુસાર ગમે તે વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરી શકતા નથી. ખેતીની જમીન કોણ ખરીદી શકે? ખેડૂત-બિનખેડૂત-ખેતમજુર કોને કહી-ગણી શકાય ? કોણ ખેડૂત બની શકે? બિનખેડૂત હોય તો ખેતીની જમીન ખરીદી શકાય ખરી? આ બધી બાબતોને લગતી જાણકારી આજે મેળવીશું. 
પહેલાં જોઇએ કે ખેડૂત-બિનખેડૂત-ખેતમજુર કોને કહી-ગણી શકાય :

(૧). ખેડૂત : ખેડૂત એટલે જમીનની જાતે ખેતી કરતી વ્યકિત. ખેતી કરવી એટલે ખેતી વિષયક કોઈપણ કામકાજ કરવું અને જાતે ખેતી કરવી એટલે પોતાના શ્રમથી અથવા પોતાના કુટુંબની કોઈ વ્યકિતના શ્રમથી અથવા પોતાના કુટુંબની વ્યક્તિના અંગત દેખરેખ હેઠળ જેમને રોકડ વસ્તુના રૂપમાં મહેનતાણું મજુરી આપવાની હોય પરંતુ પાકના ભાગના રૂપમાં ભાગ કે મજુરી આપવાની ન હોય તેવા નોકરો રાખીને અથવા દહાડિયા રાખીને અથવા પોતાના ખર્ચે ખેતી કરવી તે એટલે કે ખેડૂત. વધુમાં વડીલોપાર્જિત ખેતીની જમીન ધરાવતા હોય એટલે કે જન્મથી જ ખેતીની જમીન ધરાવતા હોય તે ગણોતધારાની અને જમીન મહેસૂલધારા હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરના ખેડૂત ગણાય.

(૨). બિનખેડૂતઃ એવી વ્યકિત કે જેણે આજદિન સુધી ખેતી અંગેનું કોઈ કામકાજ કર્યું ન હોય અને જેઓ વારસાગત ખેડૂત નથી.

(૩). ખેતમજુરઃ સૌ પ્રથમ તો ખેતમજુર કોને ગણવો ? જે વ્યકિત પાંચ વર્ષથી ખેતમજૃ્‌રી કરતો હોય અને જે વ્યક્તિના પોતાના નામે કે સંયુક્ત નામે કોઈ ખેતીની જમીન નથી કે વારસાઈમાં તેને આવી જમીન મળેલી નથી - મળવાની નથી. ખેતમજૃર ખેતમજૃ્‌રી સિવાય અન્ય કોઈ વ્યવસાય કે આનુષાંગિક વ્યવસાય ન કરતા હોવા જોઈએ. આવી વ્યકિતની વાર્ષિક આવક રૂપિયા ૫૦૦૦/- થી વધુ હોવી ન જોઈએ. આવી વ્યકિતઓએ મામલતદાર પાસેથી પ્રમાણપત્ર મેળવી તેઓ પોતાની જાતને ખેતમજ્‌૨ પ્રસ્થાપિત કરીને ત્યારબાદ ખેતીની જમીન ખરીદી શકે છે.

(૨) બિનખેડૂત વ્યક્તિ પોતાની જમીન ખરીદ કરી શકે કે કેમ ?
અન્ય રાજય એટલે કે પરપ્રાંતનો ખેડૂત ગુજરાત રાજ્યમાં ખેડૂત ન ગણાય અને તે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે નહીં. ખેડૂત સાથે બિનખેડૂત વ્યક્તિ સહભાગીદાર તરીકે ખેતીની જમીન ખરીદી શકે નહીં. મતલબ કે ખેડૂત સાથેનો બિનખેડૂત ભાગીદાર ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકે નહીં. ગુજરાત રાજયનો વ્યકિત પણ આવા સંજોગોમાં ગુજરાતમાં પણ ખેતીની જમીન ખરીદી શક્તો નથી.
બિનખેડૂત વ્યક્તિ કે સંસ્થાને ખેતીની જમીન ખરીદવા માટે ક્લેક્ટરશ્રી પાસેથી ખેડૂત પ્રમાણપત્ર મેળવવું પડે છે અને તે નીચે મુજબની પરિસ્થિતિમાં પ્રમાણપત્ર મળી શકે છે.
(૧). કોઈ વ્યકિતને ખેતીની જમીન બિનખેતીના કામ માટે જોઈતી હોય.
(ર). કોઈ જમીન ગામમાં આવેલી હોય તે ગામનો કોઈપણ ખેડૂત તે જમીનના માલિક પાસેથી તે જમીન પટે લેવાને તૈયાર ન હોય તેવા સંજોગોમાં.
(૩). તે જમીનની માલિકે કલમ-૫૫ ના ઠરાવોનું પાલન કર્યું હોય.
(૪). તે જમીન સહકારી મંડળીને જોઈતી હોય.
(પ). તે જમીન કોઈ ઔદ્યોગિક-વેપાર ધંધાના સાહસમાં લાભ લેવા માટે અથવા કેળવણીવિષયક કે ધર્માદા સ્થાપવા માટે જોઈતી હોય.
(૬). જમીન ગીરો લઈ શકાય છે. પરંતુ તે માટે ગીરો લેનારે કલેક્ટર પાસેથી પોતે ખેડૂતનો ધંધો કરવા ધારે છે અને જમીનને જાતે ખેડવા કબુલ થાય છે. એ મતલબનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે.
(૭). જો કોઈ જમીનનો માલિક એવા કોઈ શખ્સને જમીન દાનમાં આપવા માગતો હોય કે જે શખ્સ કોઈપણ જમીનની માલિકી ધરાવતો ન હોય. પરંતુ તેણે પોતે ખેડુતનો ધંધો કરવા ધારે છે. અને જાતે જમીન ખેડવા ઈચ્છે છે. એ મતલબનું પ્રમાણપત્ર મામલતદાર પાસેથી મેળવેલું હોય.
(૮). ખેતીવાડીનો માન્ય અભ્યાસકમ (બિહેવિયર ઓફ એગ્રીકલ્ચર) કરનાર વ્યકિત પોતાનો વ્યવસાય કરવા માંગતી હોય અને પોતે જાતે ખેતી કરવાની બાંહેધરી આપતો હોય.
ખેડૂત પ્રમાણપત્ર મેળવનારે એક વર્ષમાં ખેતીની ઉપયોગ કરવો જરૂરી છેઃ ખેતીની જમીનનો કબજો લીધાની તારીખથી ૧ વર્ષની મુદતમાં જે કારણ સારુ પરવાનગી મેળવેલી હોય તે કારણસરનું કામ શરૂ કરી દેવું પડે છે.

(3) કાયદાની જોગવાઈ મુજબ પુરુષ પોતે ખેડૂત ન હોય પણ પત્ની ખેડૂતપુત્રી હોય તો શું પરિસ્થિતિ ગણાય ?
પતિ ખેડૂત ન હોય પણ પત્ની ખેડુતપુત્રી હોય તો પત્નીએ સો પ્રથમ પોતાના પિતાના ખાતામાં વારસાઈથી સહમાલિક તરીકે નામ દાખલ કરાવી ખેડૂતનું પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. ત્યારબાદ તેણી પોતે ખેતીની જમીન ખરીદી શકે છે અને તેણીના વારસદારો પુત્ર, પુત્રી  (પતિ નહી) વારસાગત રીતે ખેડૂત ગણાય છે અને તેમનાં નામો પણ સહહિરસેદાર તરીકે રેવન્યુ રેકર્ડમાં દાખલ કરાવીને ખેતીની જમીન ખરીદી શકાય છે.

નર્મદા યોજનાના કારણે વિસ્થાપિત થતી વ્યક્તિ પછી તે ખેડૂત હોય કે બિનખેડુત હોય મહેસુલ વિભાગના તારીખ ૧૩-૦૮-૧૯૯૧ ના ઠરાવ મુજબ ગુજરાત રાજયમાં ખેડૂત તરીકે ગણાવાના રહે છે. ગેરકાયદે રીતે પ્રાપ્ત કરેલી ખેતીની જમીન જપ્ત કે ખાલસા થઈ શકે છે. ઉપરોકત નિયમો અનુસાર જો કોઈ ગેરકાયદે રીતે જમીન તબદિલ કરીને જમીનનો કબજો ધરાવતો હોય તો તેવી વ્યક્તિઓને જમીન ખાલી કરાવવા માટે કલેક્ટરશ્રી કાર્યવાહી કરીને કલમ-૭૫ થી મળેલી સત્તાનુસાર કાયદેસરની પ્રક્રિયા કરીને જમીન ખાલી કરાવી શકે છે.

પ્રશ્ન: (૧) કોઈ ખેડૂત/ખાતેદાર પોતાની જમીન વેચાણ/તબદિલ કરવા માગતો હોય તો તે અંગે તેણે કંઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ ? ( મુકેશ પટેલ )
જવાબઃ જુના મુંબઈ રાજયના વિસ્તારમાં ગણોતધારાની કલમ ૬૩3 અન્વયે, કચ્છમાં કચ્છ-ગણોતધારાની કલમ ૮૯ હેઠળ અન્વયે તથા જૃના સૌરાષ્ટ્ર રાજ્યના વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત પતાવટ અને ખેતીની જમીન અંગેનો સને ૧૯૪૯ ના કાયદાની કલમ ૫૪, જે સોરાષ્ટ્ર લેન્ડ રીફોર્મસ એક્ટથી અમલી કરવામાં આવી છે, તેમાં ખેતીની જમીન બિનખેડ્તને તબદિલ/વેચાણ કરવા ઉપર પ્રતિબંધ છે. વધુમાં ખેડૂત અગર ગણોતિયો પણ જે તે વિસ્તારના ટોચમર્યાદા કરતાં જમીન વધતી હોય તો આવી વધારાની ખેતીની જમીન વેચાણ રાખી શકે નહીં.

પ્રશ્નઃ(ર) કોઈ ખેડૂત/વ્યક્તિએ પોતાની જમીન અન્ય ખેડૂતને તબદિલ કરવી હોય તો કોઈ બાબતમાં નિયંત્રણ છે ? (મયુર પટેલ)
જવાબ ઃ સામાન્ય રીતે જુની શરતની ખેતીની જમીનનું કાયદેસરના ખેડૂત-ખેડૂત વચ્ચેના વેચાણ બાબતે ખાસ કોઈ નિયંત્રણ નથી પરંતુ ખેતીની જમીન નવી અને અવિભાજય શરતની હોય તો પ્રિમિયમની રકમ ભરપાઈ કરે તે ખેડૂત અન્ય ખેડૂતને ટ્રાન્સફર વેચાણ કરી શકે છે. ગુજરાતના અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર થયેલા વિસ્તારમાં કોઈ આદિવાસીઓએ ધારણ કરેલી કે તેમને સરકારે જાતખેતી માટે આપેલી ખેતીની કે બિનખેતીની જમીન બીજી કોઈ વ્યકિતને ભલે તે ખેડૂત હોય કે આદિવાસી હોય પરંતુ ક્લેક્ટરશ્રીની પૂર્વ મંજુરી વિના તબદિલ કે વેચાણ થઈ શક્તી નથી અને જો આવી કાર્યવાહી પૂર્વમંજુરી સિવાય થઈ હોય તો તે ગેરકાયદે છે. આમાં ખેતી વિષયક હેતુ માટે લોન લેવા સહકારી કે જમીન વિકાસ બેન્કને જમીન તારણ આપવાનો સમાવેશ થતો નથી.

પ્રશ્ન : (3) કોઈ બિનખેડૂતને જાત ખેતી કરવા માટે જમીન વેચાણથી રાખવી હોય તો કોઈ જોગવાઈ છે ? (સતીષ દેસાઈ)
જવાબઃ કોઈ બિનખેડત જો ખેતીના હેતુ માટે જ જમીન વેચાણથી રાખવા માગતો હોય તો નાયબ ક્લેક્ટરશ્રી/કલેક્ટરશ્રી તરફથી ઠરાવવામાં આવે તેવી શરતોએ વેચાણ, બક્ષીસ, પટા અથવા ગીરોથી તે બાબતનું પ્રમાણપત્ર મેળવીને રાખી શકશે. એમાં જે વ્યકિતની વાર્ષિક આવક રૂપિયા ૫૦૦૦/- થી વધે નહીં તે તથા આવી બાબત ધ્યાનમાં રાખીને સક્ષમ અધિકારી નિર્ણય લે છે અને પોતાને સંતોષ થાય તો જ આવી પરવાનગી આપે છે.

નોંધ:-(જમીન-મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના સૂચનો કે પ્રશ્નો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)

No comments:

Post a Comment

Featured post

હીરાભાઈ રાઠોડની RTI પરથી રાજ્યવ્યાપી ભલામણ — ફાળવેલી જમીનનો રેકોર્ડ હવે ઑનલાઇન મૂકાશે : માહિતી આયોગ”

 હીરાભાઈ રાઠોડની RTI પરથી રાજ્યવ્યાપી ભલામણ — ફાળવેલી જમીનનો રેકોર્ડ હવે ઑનલાઇન મૂકાશે : માહિતી આયોગ” સરકારે ફાળવેલી જમીનનો રેકોર્ડ ઑનલાઇન મ...