- E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

9.11.2022

 For Download Stamp Duty Calculator App Click here 


વીલ યાને વસિયતનામું તેમજ દત્તક લેવાના અધિકારપત્રની રજીસ્ટ્રેશન એક્ટની જોગવાઈઓ

- વીલ યાને વસિયતનામું ફરજીઆત રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

રજીસ્ટ્રેશન એક્ટ-૧૯૦૮ ભારત સરકારનો કાયદો છે અને આ કાયદાની કલમ-૧૭માં જે જુદા જુદા વ્યવહારો છે અને ખાસ કરીને સ્થાવર મિલકતની વેચાણ, તબદીલી, ગીરો વિગેરે જે મુખ્યત્વે ફરજીયાત નોંધણીને પાત્ર છે. જ્યારે કલમ-૧૮માં મરજીયાત રજીસ્ટ્રેશનના દસ્તાવેજોની જોગવાઈ છે તેમાં દા.ત. વીલ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી. વીલ એક એવો દસ્તાવેજ છે કે જે કોઈપણ વ્યક્તિ સાવધ અવસ્થામાં સ્વપાર્જીત મિલકતનું હસ્તાંતરણ તેના મૃત્યુબાદ અમલમાં આવે તે રીતે વસીયતનામું કરવામાં આવે છે અને કોઈપણ બે સાક્ષીઓની ઉપસ્થિતિમાં કરેલ હોવંછ જોઈએ. આ વીલ માટેના પાયાના તત્વો છે. જેમ જણાવ્યું તેમ વીલ મરજીઆત નોંધણીને પાત્ર છે, તેમ છતાં કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો ઉપર જણાવેલ બાબતો સંતોષાતી હોય તો સબંધિત વિસ્તારના નોંધણી રજીસ્ટ્રેશન પાસે નોંધણી કરાવી શકે છે. રજીસ્ટ્રેશન કાયદાની કલમ-૪૦ અને નિયમ ૭૧ થી ૭૭માં અને તે મુજબ વીલ કરનાર અથવા તેના મૃત્યુ પછી વીલ હેઠળ એક્જીક્યુટર તરીકે અથવા બીજી રીતે હક્કદાવો કરનાર વ્યક્તિ કોઈ રજીસ્ટ્રેશન અથવા સબરજીસ્ટ્રાર પાસે રજીસ્ટ્રેશન માટે તે વીલ રજૂ કરી શકે છે એટલે કે જેમ જણાવ્યું તેમ વીલ ફરજીઆતપણે રજીસ્ટ્રેશન કરાવવાની કાયદામાં જોગવાઈ નથી, પરંતુ કોઈ વસીયત કરનાર વ્યક્તિ હયાતીમાં અથવા તેનો એક્જીક્યુટર એટલે કે મૃત્યુ બાદ પણ કોઈ રજીસ્ટર કરાવવા માગતું હોય તો રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરી શકાય છે તેજ રીતે દત્તક (Adoption) લેવાનો અધિકારપત્ર કરી આપનાર વ્યક્તિ અથવા તેના મૃત્યુ પછી જેને કરી આપ્યું હોય તે વ્યક્તિ અથવા દત્તક લેવાયેલ પુત્ર / પુત્રી કોઈ રજીસ્ટ્રાર અથવા સબ રજીસ્ટ્રાર પાસે તે અધિકારપત્ર રજીસ્ટ્રેશન માટે રજુ કરી શકે છે.

રજીસ્ટ્રેશન કાયદાની કલમ-૪૧ પ્રમાણે વીલોનું અને દત્તક લેવાના અધિકારપત્રોનું રજીસ્ટ્રેશન કરતી જોગવાઈ છે અને તે મુજબ રજીસ્ટ્રાર અધિકારીને ખાત્રી થાય કે, યથા પ્રસંગે વીલ કરનારે વીલ અથવા અધિકારપત્ર કરી આપનારે, અધિકારપત્ર કરી આપેલ છે કે કેમ, વીલ કરી આપનાર અથવા અધિકારપત્ર કરી આપનાર વ્યક્તિ મૃત્યુ પામેલ છે કે કેમ અને વીલ અથવા અધિકારપત્ર રજૂ કરનાર વ્યક્તિ કલમ-૪૦ હેઠળ તે અધિકારપત્ર રજૂ કરવા હક્કદાર છે, તો વીલ અથવા દત્તક લેવાનો અધિકારપત્ર રજૂ કરવાને હક્કદાર હોય તે અન્ય કોઈ વ્યક્તિએ રજીસ્ટ્રેશન માટે રજૂ કરેલ સદર વીલ અથવા દત્તક લેવાનો અધિકારપત્ર રજીસ્ટ્રારે રજીસ્ટ્રર કરી આપવાની જોગવાઈ છે. વીલ અને વસીયતનામાની મૂળ કાયદાકીય જોગવાઈઓ ભારતીય વારસા અધિનિયમમાં છે. (Indian Succession Act) જેમાં વીલની કાયદેસરતાના તત્વો, પ્રોબેટ વિગેરે આ લેખમાં આપણે રજીસ્ટ્રેશન કાયદા અન્વયે વીલના રજીસ્ટ્રેશન અને અધિકારપત્રોની બાબતોનું આલેખન કરીએ છીએ. આ કાયદામાં વીલ જે કરવામાં આવે તે સામાન્ય રીતે જેણે વીલ (Execute) કર્યુ હોય તેની custody માં હોય છે અથવા વીલના અમલ માટે પણ એડમીનીસ્ટ્રેટર નિમવામાં આવતા હોય છે. જે વીલ કરવામાં આવે તેને રજીસ્ટ્રાર કચેરીમાં અનામત મૂકવાની પણ રજીસ્ટ્રેશન કાયદાની કલમ-૪૨ થી ૪૫ સુધી જોગવાઈઓ કરવામાં આવેલ છે અને તે મુજબ વીલ યાને વસીયતનામું કરનાર કોઈ વ્યક્તિ પોતાનું વીલ સીલબંધ કવરમાં મૂકી તેના ઉપર પોતાનું નામ અને કોઈ એજન્ટ હોય તો તેનું નામ અને દસ્તાવેજ કેવા પ્રકારનો છે તેવી વિગતોનું વર્ણન કરી તે વીલ કોઈ રજીસ્ટ્રાર પાસે પોતે અથવા અધિકૃત કરેલ એજન્ટ મારફત અનામત મૂકવાની જોગવાઈ છે અને આવું વીલ જ્યારે રજીસ્ટ્રાર સમક્ષ રજૂ થાય ત્યારે રજીસ્ટ્રારને એ ખાત્રી કરવાની છે કે વીલ રજૂ કરનાર વ્યક્તિ પોતે વીલ કરનાર અથવા તેનો એજન્ટ છે ત્યારબાદ રજીસ્ટરના નિયત નમુના નં.૫ માં વીલના કવર ઉપર જે વિગતો લખી હોય તેની નોંધ કરવાની છે અને રજીસ્ટરમાં વીલ રજૂ કરવાનો અને મળ્યાનો સમય, તારીખ, મહિનો અને વર્ષની હકીકત તે સાથે વીલ રજૂ કરનાર અને તેના એજન્ટની ઓળખ આપનાર વ્યક્તિઓના નામ કવરના સીલ ઉપર વાંચી શકાય તે મુજબ નોંધ કરવાની છે. ત્યારબાદ રજીસ્ટ્રારે તેમની કચેરીના ફાયરપ્રુફ સલામત પેટીમાં વીલ અનામત સ્વરૂપે રાખવાનું છે. આ જોગવાઈઓ વીલ અનામત રાખવાની છે, તેજ રીતે રજીસ્ટ્રેશન કાયદાની કલમ-૪૪માં વીલનું સીલબંધ કવર પરત લેવાની પણ જોગવાઈઓ કરવામાં આવેલ છે અને તે મુજબ જેણે કવર અનામત મુક્યું હોય તે વીલ કરનાર તે કવર પાછું લેવા ઈચ્છતો હોય તો જે રજીસ્ટ્રાર પાસે અનામત મૂક્યું હોય તે રજીસ્ટ્રારને જાતે અથવા અધિકૃત કરેલ એજન્ટ મારફત અરજી કરવાની છે અને રજીસ્ટ્રારને એ ખાત્રી થાય કે વીલ કરનાર વ્યક્તિ અથવા તેનો એજન્ટ તેજ છે, ત્યારપાદ વીલનું કવર પરત આપવાની જોગવાઈ છે.

હવે એવું પણ બને કે વીલ અનામત મૂક્યું હોય તે દરમ્યાન વીલ કરનારનું મૃત્યુ થાય તો કલમ-૪૫ હેઠળ જે રજીસ્ટ્રાર પાસે વીલ અનામત મૂકવામાં આવ્યું હોય તે રજીસ્ટ્રારને અરજી કરવાની છે અને વીલ કરનાર મૃત્યુ પામ્યો છે તેના આધાર પુરાવાની દા.ત. મરણનો દાખલો ખાત્રી કર્યા બાદ જે અરજદારે અરજી કરી છે તેની હાજરીમાં કવર ખોલવાની જોગવાઈ છે અને તેના કવર ઉપરની નોંધોની વિગતો રજીસ્ટરમાં નોંધવાની છે અને ત્યારબાદ તેની નકલ કરી લેવામાં આવ્યા બાદ અસલ વીલ ફરી અનામતમાં રાખવાનું છે. આ ઉપરાંત વીલ અંગે જ્યારે કોઈ કોર્ટમાં વિવાદ થાય અથવા પ્રોબેટના હેતુ માટે કે વીલના વહીવટ અંગે કાનુની કોર્ટમાં વીલ રજૂ કરવાનો આદેશ કરવામાં આવે ત્યારે સબંધિત કોર્ટમાં રજૂ કરવા માટે આ કાયદાની જોગવાઈઓનો બાધ નડતો નથી. 

આમ વીલ કર્યા પછી વીલને અનામત રાખવાની જોગવાઈઓ રજીસ્ટ્રેશન કાયદામાં કરવામાં આવી છે તે સ્વાભાવિક રીતે આમ જનતાને જાણકારી હોતી નથી, જેથી આજકાલ જમીન / મિલકતના વિવાદોનો વ્યાપ વધ્યો છે તેમ વીલ કર્યા બાદ પણ હિત ધરાવતા પક્ષકારો દ્વારા વીલની કાયદેસરતાને પડકારવાના કેસો પણ વધ્યા છે ત્યારે વીલના રજીસ્ટ્રેશન અંગે તેમજ તેને અનામત રાખવાની જોગવાઈઓની જાણકારી સબંધકર્તાઓને ઉપયોગી થશે. 

સુપ્રીમકોર્ટના ચૂકાદા મુજબ બિનખેડૂતની તરફેણમાં થતા વીલ ગેરકાયદેસર

ખેતીની જમીન વીલ મારફતે બિન-ખેડૂત ને તબદીલ થઇ ના શકે :સુપ્રીમ કોર્ટ



1 comment:

Featured post

E-Jamin Gujarat-Stamp Dyuti Calculator and more

 ⚖️📲 વકીલ અને દસ્તાવેજ લખનાર માટે ખાસ DIGITAL TOOLKIT! 🟢 E-Jamin Gujarat App – હવે દરેક દસ્તાવેજ લખતી વખતે કોઈ પણ ગણતરીમાં ભૂલ શક્ય નથી! ...