બાંધકામની સમયમર્યાદાની જોગવાઈ રદ કરતો નિર્ણય - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

6.20.2022

બાંધકામની સમયમર્યાદાની જોગવાઈ રદ કરતો નિર્ણય

 

બાંધકામની સમયમર્યાદાની જોગવાઈ રદ કરતો નિર્ણય


- મહેસૂલ વિભાગ દ્વારા બિનખેતીની પરવાનગીમાં 

- લોકાભિમુખ માર્ગદર્શન- - એચ.એસ. પટેલ  IAS (નિ.)

- માસ્ટર ડેવલપમેન્ટ પ્લાનમાં સમાવિષ્ઠ જમીનોમાં બિનખેતી પરવાનગીની જોગવાઈ દૂર કરવી જરૂરી

ગતાંકથી ચાલુ ...

જમીન મહેસૂલ અધિનિયમમાં ખેતી સિવાયના ઉપયોગ માટે જમીનનો ઉપયોગ કરવા માટે કલમ-૬૫ હેઠળ જોગવાઈઓ છે. પાયાની બાબત તરીકે ખેતી વિષયક હેતુ માટે જે જમીનનું મહેસૂલ નક્કી કરવામાં આવ્યું હોય તે ખેતી સિવાયનો ઉપયોગ થાય ત્યારે કેટલો બિનખેતી ધારો વસુલ કરવો તે મુખ્ય બાબત છે. જ્યારે મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ ઘડાયો ત્યારે બ્રિટીશ શાસન વ્યવસ્થા હતી અને આ કાયદામાં અને તે સમયના કાયદાઓમાં કલેક્ટર અને પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવતી તેનું કારણ એ હતું કે આઝાદી પહેલાં આ અધિકારીઓ અંગ્રેજ શાસનને વફાદાર હતા, એટલે તમામ સત્તાઓ તે ભોગવતા, તે ઉપરાંત બાંધકામ અને અન્ય બાબતોને નિયમન કરતાં કાયદા જે તે સમયે ન હતાં એટલે જ્યારે જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ કલમ-૬૫ હેઠળની પરવાનગી આપવામાં આવતી તેમાં બિનખેતી ઉપયોગ અને બાંધકામની શરતો રાખવામાં આવે છે અને જેમાં છ માસથી શરૂ કરીને ૨ વર્ષમાં બાંધકામ કરવાની શરતો રાખવામાં આવતી. ખરેખર તો સમયાંતરે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એટલે કે મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશ્નરને બાંધકામ પરવાનગી આપવાની સત્તાઓ આપેલ છે તેજ રીતે નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર વિગેરે અને હવે સુઆયોજીત વિકાસના ભાગરૂપે ટાઉન પ્લાનીંગ એક્ટ હેઠળ વિકાસ પરવાનગીના ભાગરૂપે બાંધકામ નિયંત્રણના નિયમો હાલ સીડીજીસીઆર - (Common Development General Control Regulation)  અમલમાં છે એટલે જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ બેનખેતીના હેતુ માટે કલમ-૬૫ની પરવાનગી કલેક્ટર દ્વારા આપવામાં આવે છે તેમાં બાંધકામની પરવાનગીનો સમયગાળો કે બાંધકામના નકશા મંજૂર કરવા તે મહેસૂલતંત્રના કાર્યક્ષેત્રના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તૃત નથી તેમ છતાં વર્ષો સુધી આ જોગવાઈઓ વિદ્યમાન રહી છે.

જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫માં પ્રાથમિક રીતે ખાતેદાર જે ખેતીની જમીન ધારણ કરે છે અને ખેતી સિવાયનો ઉપયોગ કરે ત્યારે બિનખેતીધારો વસુલ કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ છે અને કલમ-૬૫ હેઠળ પેટા કલમ-૬૫ (૨) ઉમેરીને રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકના હેતુ માટે જો જમીન મહાનગરપાલિકા / નગરપાલિકા / શહેરી વિકાસ સત્તા મંડળ / ઔદ્યોગિક વસાહતમાં અને તેની હદથી પાંચ કિલોમીટરના વિસ્તાર સિવાય રહેણાંકના હેતુ માટે કલેક્ટરની કલમ-૬૫ હેઠળ બિનખેતીની પરવાનગી લેવાની જોગવાઈ નથી. તેમાં ફક્ત બિનખેતીધારો જ નક્કી કરવાનો છે આ જોગવાઈઓથી ઘણા લોકો જાણકાર નથી અને મહેસૂલીતંત્ર પણ આ જોગવાઈઓ અંગે પ્રજાને જાણકારી આપતું નથી. આજ રીતે ખેડુત ખાતેદાર પોતાની ખેતીની જમીનમાં પોતાના રહેવા માટે રહેણાંક બનાવે તો પણ બિનખેતીની પરવાનગી લેવાની જરૂર નથી.

જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૬ હેઠળ બિનખેતીની પરવાનગી લેવામાં ન આવે તો શું કાર્યવાહી કરવી તે અંગેની જોગવાઈઓ છે. આ કલમમાં હેતુફેર અને સંક્ષિપ્ત રીતે દૂર કરવાની જોગવાઈઓ છે. પરંતુ કલમ-૬૭ હેઠળ બિનખેતીનું કૃત્ય નિયમબધ્ધ કરવાની જોગવાઈઓ છે અને તેમાં આકારના પટ્ટ લઈને નિયમબધ્ધ કરવા માટેની જોગવાઈ છે. આટલી કાયદાકીય જોગવાઈઓની સમજ આપ્યા પછી તાજેતરમાં તા.૧૬-૬-૨૦૨૨ના પરિપત્ર ક્રમાંક - બખપ/૧૦૦૬/૪૨૫/ક અન્વયે મહેસૂલ વિભાગ દ્વારા જે વર્ષોથી અપ્રસ્તૃત બાબતનું (Irrelevant) આચરણ કરવામાં આવતું હતું તે રદ કરવામાં આવ્યું છે તે પ્રજાલક્ષી નિર્ણય કહી શકાય એટલા માટે કે હવે બાંધકામ નિયમન કરવાનું સત્તા મંડળ અલગ છે એટલે કે શહેરી વિકાસ વિભાગ હસ્તકના ટાઉન પ્લાનીંગ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામને નિયમન કરતાં જીડીસીઆર બહાર પાડવામાં આવ્યા છે અને તે ઉપરાંત મહાનગરપાલિકા / નગરપાલિકા / શહેરી વિકાસ સત્તા મંડળોને ઝોનીંગ પ્રમાણે સબંધિત વિસ્તારોમાં જીડીસીઆર મુજબ બાંધકામની પરવાનગી અને તે અંગેની બાંધકામની સમયમર્યાદા નક્કી કરવાની સત્તાઓ છે. મહેસૂલ વિભાગે જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૫ હેઠળ બિનખેતી પરવાનગીના હુકમમાંથી બાંધકામની સમયમર્યાદા દૂર કરવા તેમજ શરતભંગના કેસો ચલાવતી સમયે બિનખેતી પરવાનગીના હુકમમાં સમાવિષ્ઠ બાંધકામની સમયમર્યાદા બાબતોના કેસોને શરતભંગ ન ગણવા કલેક્ટરોને જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જમીન મહેસૂલ નિયમોના નિયમ-૮૭ હેઠળ જે સનદના નમુનામાં 'ત' માં બાંધકામની સમયમર્યાદા દર્શાવતી શરતક્રમાંક '૪' દૂર કરવામાં આવેલ છે. આમ આ જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેનો અમલ પ્રજાહિતમાં કરવામાં આવે તે જરૂરી છે. આજ રીતે શહેરોના માસ્ટર ડેવલમેન્ટમાં આવતી જમીનોમાં નવી શરતની જમીનો સિવાય બિનખેતીની પરવાનગી પણ રદ કરવાની જરૂર છે કારણ કે જમીનોના 'લેન્ડ યુઝ' નક્કી થવાથી શરૂઆતથી જ બિનખેતીનો આકાર લઈ શકાય અને બાંધકામ પરવાનગી આપવાની સત્તા સબંધિત શહેરી સત્તા મંડળનો છે.

No comments:

Post a Comment

Featured post

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સંપાદિત જમીનના વળતર માટે ઉંચા વેચાણના આધારો જરૂરી

સંપાદિત જમીનના વળતર મુદ્દે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો: ‘ઉચ્ચતમ વેચાણ આધારનું મૂલ્યાંકન જરૂરી’ ભારતીય સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ...