- જે નિર્ધારિત કામ કરવા માટે પાવર ઓફ એટર્ની આપેલો હોય, તો તે કામ પૂરું થતાં તેનો અંત આવે છે
આ કાયદા હેઠળ પાવર ઓફ એટર્નીનો લેખ જો નોટરી સમક્ષ તેમાં સહી કરી હોય, તો લેખ કરી આપનારની સહીના એક્ઝિક્યુશનને તથા લેખની અધિકૃતતાને કોર્ટ ખરી માની લે છે.
પાવર ઓફ એટર્ની બે વ્યક્તિઓ સંયુકત રીતે પણ આપી શકે છે તેમજ તેવા લેખ દ્વારા બે વ્યકિતઓને જોઈન્ટલી અને /અગર સેવરલી રીતે કાર્ય કરવા પણ અધિકૃત કરી શકાય છે. પાવર ઓફ એટર્ની મર્યાદિત સમય માટે પણ આપી શકાય છે તેમજ જનરલ પાવર ઓફ એટર્નીને રદ પણ કરી શકાય છે. જો ચોકક્સ કામ કરવા માટેનો પાવર ઓફ એટર્ની આપેલો હોય, તો તે કામ પૂરું થતાં તેનો અંત આવે છે. પાવર ઓફ એટર્નીનું સાક્ષીકરણ પણ ફરજિયાત નથી.
મુખત્યારનામું રરજિસ્ટ્રેશન ફરજિયાત નથી, સિવાય કે તે સ્થાવર મિલકતને માટે આપેલું હોય અવેજ સહિતનું, હિતવાળું કપલ્ડ વિથ ઈન્ટરેસ્ટ હોય તથા સ્થાવર મિલકતના વેચાણ માટે નજીકના સગા હોય નહીં તેવી વ્યકિતને અપાયેલું હોય. જો એકથી વધુ મુખત્યારની નિમણૂક થઈ હોય, તો દરેક વ્યકિત દીઠ વધારાની સ્ટેમ્પ ડયુટી લાગે છે. જો સ્થાવર મિલકત માટે મુખત્યારનામું અપાયેલું હોય, તો વેચાણખત ઉપર લાગે તેટલી સ્ટેમ્પ ડયુટી પણ લાગે છે.
સમાજ માટે મુખત્યારનામું ખૂબ જ ઉપયોગી દસ્તાવેજ છે. તે સમય બચાવે છે, સંબંધો સાચવે છે, વિશ્વાસનું વાતાવરણ ઉત્પન્ન કરે છે અને જરૂર જણાય તો તેને રદ પણ કરી શકાય છે તથા પરત પણ ખેંચી શકાય છે.
આમ પાવર ઓફ એટર્ની એક વ્યકિતએ બીજી વ્યકિત ઉપર મુકેલા વિશ્વાસનો લેખ
ગણાય અને તેવો વિશ્વાસ જ્યાં સુધી પાવર ઓફ એટર્નીનો લેખ કાયદેસર રીતે રદ કરવામાં ન આવે ત્યાં સુધી ચાલુ રહે છે. જો કુલમુખત્યાર કોઈ ગેરકાયદે કે ગુનાઇત કૃત્યો કરે અગર અધિકાર બહારનું કૃત્ય કરે તો તે માટે પાવર ઓફ એટર્ની આપનાર જવાબદાર રહેશે નહીં. વળી પાવર ઓફ એટર્ની આપનારને લેખ દ્વારા કુમમુખત્યારે કરેલી કાર્યવાહીઓની જાણ કરવાનીફરજ પણ છે અને તેવી કાર્યવાહીની વિગતો મેળવવાનો પણ મુખત્યારનામુ લખી આપનારને કાયદેસરનો હક્ક અને અધિકાર રહે છે.
નોંધ:-જમીન-મિલક્ત માટેના લેખોના સંદર્ભે વાચકોના કોઈ સૂચન કે પ્રશ્નો ‘નવગુજરાત સમય’ ના નવા સરનામે (૧૦૧, પહેલો માળ, ઓમ શાયોના આર્કેડ, સિલ્વર ઓક
કોલેજ પાસે, ગોતા, અમદાવાદ-૩૮૨૪૮૧) લેખિત રૂપે મોકલવા અથવા લેખકને ઈ-મેઈલ કરવા)
No comments:
Post a Comment