પ્રોપર્ટી ઉપર ૧૨ વર્ષથી જેનો કબ્જો એ તેનો કાનૂની માલિક - E-Jamin

Latest

At E-Jamin Revenue Blog, we provide detailed, up-to-date guides on navigating the Gujarat revenue department, covering all important offices such as the Sub Registrar, Mamlatdar, City Survey, Collector, and DILR (District Inspector of Land Records). Whethe

Revenue News

BANNER 728X90

8.08.2019

પ્રોપર્ટી ઉપર ૧૨ વર્ષથી જેનો કબ્જો એ તેનો કાનૂની માલિક

પ્રોપર્ટી ઉપર ૧૨ વર્ષથી જેનો કબ્જો એ તેનો કાનૂની માલિક


જો તમારા ઘર, પ્રોપર્ટી કે જમીન ઉપર કોઈએ ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હોય તો તેને હાંકી કાઢવામાં જરા પણ વિલંબ નહિ કરતા નહિંતર પસ્તાવુ પડશે : સુપ્રિમ કોર્ટે કનિદૈ લાકિઅ આપ્યો મહત્વનો ચુકાદોઃ સાચા માલિકે સમય મર્યાદામાં પગલુ લેવુ જરૂરી નહિંતર માલિકી હક્ક સમાપ્ત થઈ જશે અને જેના કબ્જામાં છે તે સંપત્તિ તેની કનિદૈ લાકિઅ થઈ જશે નવી અકિલા દિલ્હી, તા. ૮ :. સુપ્રિમ કોર્ટે ગઈકાલે એક અત્યંત મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું છે કે અચલ સંપત્તિ કનિદૈ લાકિઅ ઉપર ૧૨ વર્ષથી જેનો કબ્જો હોય તે જ તેનો કાનૂની માલિક ગણાય, તો પછી સાવધાન અકીલા થઈ જાવ જો તમારી કોઈ અચલ સંપત્તિ ઉપર કોઈએ કબ્જો જમાવ્યો કનિદૈ લાકિઅ હોય તો તેને ત્યાંથી હટાવવામાં જરા પણ વિલંબ નહિ કરતા જો તમે તમારી સંપત્તિ પર બીજાના ગેરકાનૂની કબ્જાને પડકારવામાં વિલંબ કરશો તો સંભવ છે કે કનિદૈ લાકિઅ એ પ્રોપર્ટી કદાચ તમારા હાથમાંથી હંમેશ માટે ચાલી પણ જાય. સુપ્રિમ કોર્ટે આ બારામાં એક મોટો ફેંસલો સંભળાવ્યો છે. જે હેઠળ જો વાસ્તવિક કે કાનૂની કનિદૈ લાકિઅ માલિક પોતાની અચલ સંપત્તિને ગેરકાયદેસરોના કબ્જામાંથી પોતાની પાસે લેવામાં સમય સીમાની અંદર પગલા ન લ્યે તો તેનો માલિકી હક્ક સમાપ્ત થઈ જશે કનિદૈ લાકિઅ અને એ અચલ સંપત્તિ પર જેણે કબ્જો જમાવ્યો છે તેને જ કાનૂની રીતે માલિકી હક આપી દેવાશે. જો તમારી અચળ સંપત્ત્િ। એટલે ઘર, પ્રોપર્ટી કે જમીન પર કનિદૈ લાકિઅ કોઈએ કબ્જો જમાવી લીધો હોય તો તમારે તેને હટાવવામાં જરા પણ મોડું ન કરવું જોઈએ. જો તમે તમારી સંપત્ત્િ। પર બીજાએ ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાની વાતને કોર્ટમાં પડકારવામાં મોડું કરશો તો શકય છે કે સંપત્ત્િ। કાયમ માટે તમારા હાથમાંથી સરકી જશે. સુપ્રીમ કોર્ટે આ મામલે એક મોટો ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અંતર્ગત જો વાસ્તવિક કે કાયદેસર માલિક અચળ સંપત્ત્િ। પર બીજી વ્યકિતના કબ્જાને પોતાના હસ્તક લેવા માટે અમુક સમય મર્યાદા અંદર કદમ નહિ ઊઠાવે તો તેનો માલિકીનો હક સમાપ્ત થઈ જશે અને એ સંપત્ત્િ। જેણે કબ્જો જમાવ્યો છે તેની થઈ જશે. આટલું જ નહિ, તે વ્યકિતને પ્રોપર્ટી પર કાયદાકીય રીતે બધા જ લાભ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર દબાણને આમાં શામેલ કરવામાં નહિ આવે. એટલે કે સરકારી જમીનને ગેરકાયદેસર પચાવી પાડવાને કાયદાકીય માન્યતા નહિ મળી શકે. લિમિટેશન એકટ ૧૯૬૩ અંતર્ગત પ્રાઈવેટ સંપત્ત્િ। પર લિમિટેશનની અવધિ ૧૨ વર્ષ અને સરકારી સંપત્ત્િ।માં ૩૦ વર્ષ છે. આ મર્યાદા કબ્જાના દિવસથી શરૂ થયેલી ગણાય છે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ એસ.અબ્દુલ નજીર અને જસ્ટિસ એમ આર શાહની બેંચે કાયદાની જોગવાઈઓની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે જે વ્યકિતએ અચલ સંપત્ત્િ। પર ૧૨ વર્ષથી વધુ સમય કબ્જો રાખ્યો છે, કાયદો તેના પક્ષમાં છે. જો ૧૨ વર્ષ પછી તેને હટાવવામાં આવે તો તેની પાસે સંપત્ત્િ। ફરી મેળવવા માટે કાયદાના શરણમાં જવાનો અધિકાર છે. બેંચે જણાવ્યું કે, અમારો નિર્ણય છે કે સંપત્ત્િ। પર જેનો કબ્જો છે, તેને બીજી કોઈ વ્યકિત યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના ત્યાંથી હટાવી ન શકે. જો કોઈએ ૧૨ વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી રાખ્યો હોય તો કાયદાકીય માલિક પાસે તેને હટાવવાનો અધિકાર નથી. આવી સ્થિતિમાં ગેરકાયદેસર સંપત્ત્િ। પચાવી પાડનારને જ કાયદાકીય અધિકાર, માલિકીનો હક મળશે. ચુકાદામાં સ્પષ્ટ કરાયુ છે કે જો કોઈએ ૧૨ વર્ષ સુધી ગેરકાયદેસર કબ્જો રાખ્યો હોય તે પછી તેણે કાયદાકીય રીતે પોતાની માલિકીનો હક પ્રાપ્ત કરી લીધો તો તેને અસલી માલિક હટાવી ન શકે. જો જબરદસ્તી કબ્જો હટાવવામાં આવશે તો અસલી માલિક વિરુદ્ઘ તે કેસ કરી શકે છે અને સંપત્ત્િ। પાછી મેળવવાનો દાવો કરી શકે છે કારણ કે અસલી માલિક ૧૨ વર્ષ બાદ પોતાની માલિકીનો હક ગુમાવી દે છે.

IF YOU HAVE LIKED THE ARTICLES PLEASE SHARE IT!!!

No comments:

Post a Comment

Featured post

વેચાણ કરાર રદ થયેલો હોય તો પહેલું પગથિયું છે – ઘોષણાત્મક રાહતની માંગ: સુપ્રીમ કોર્ટ

 સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો : રદ કરાર પર ‘ચોક્કસ અમલ’નો દાવો જાળવી શકાય નહીં. દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતો કહ્...