1.04.2024

સરકારી આવાસના દસ્તાવેજ માટે અશાંતધારાની મંજૂરી એકસાથે અપાશે

 

બીજી વખત દસ્તાવેજ માટે જો કે વ્યક્તિગત અશાંતધારાની મંજૂરી લેવી પડશે

વડોદરા, તા.4 આથક રીતે નબળા અને ઘર વિહોણા નાગરિકોને વડોદરા શહેરમાં ફાળવવામાં આવતા વિવિધ યોજના હેઠળના આવાસોની અશાંતધારાની મંજૂરી માટે સરળીકરણ કરવામાં આવ્યું છે. હવે, આવાસની ફાળવણી થયેથી મંજૂરીપત્રો મેળવી અશાંત ધારા હેઠળની પરવાનગી પણ એક સાથે આપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરા શહેર પ્રાંત કચેરી દ્વારા અશાંતધારા હેઠળની પરવાનગી આપવાની કામગીરી કરવામાં આવે છે. શહેરની ઘણી સરકારી જમીનો આવા વિસ્તારમાં આવે છે અને ત્યાં સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આવાસો બનાવવામાં આવે છે. એવા સંજોગોમાં પ્રથમ દસ્તાવેજ કરવા ટાણે અશાંતધારા હેઠળની પણ મંજૂરી મેળવવાની થાય છે. એટલે હાઉસિંગ બોર્ડના જાગીર વ્યવસ્થાપકે આ બાબતે શહેર પ્રાંત કચેરીમાં રજૂઆત કરી હતી. તેના પગલે પ્રાંત અધિકારીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ જે લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા હોય, તેની યાદી, ફાળવણી પત્રના આધારે એક સાથે મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણયને પગલે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગોરવા ખાતે આથક રીતે નબળા પરિવારો માટે બનેલા ૧૫૬૦ ઉપરાંત એ જ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૧૫૬૦ આવાસોના લાભાર્થીઓને સરકારી કચેરી સુધી જવાની માથાકુટ ઉપરાંત સમય અને નાણાનો બચાવ થશે. આવાસ ધારણ કરવાની સમય મર્યાદા બાદ ત્રાહિત વ્યક્તિને આવાસ વેચાણના કિસ્સામાં અશાંત ધારા હેઠળ અલગથી પરવાનગી લેવાની રહેશે

No comments:

Post a Comment

મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં

  મૌખિક પુરાવો નોંધાયેલ વેચાણ દસ્તાવેજની ઉપરવટ અસરકારક બની શકે નહીં. જ્યારે જમીન મિલકત વેચાણ વ્યવહાર કરવામાં આવેલ ત્યારે  પક્ષકારો વચ્ચે કાય...